ગાંધીનગર સેક્ટર-30 પાસે સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન ટાણે ડૂબી જવાથી ત્રણ વ્યક્તિના મોત

વહેલી સવારે બનેલી ઘટનામાં સાબરમતી નદી કિનારે પાંચ વ્યક્તિ નદીમાં ડૂબી હતી જેમાંથી ત્રણનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

ગાંધીનગર સેક્ટર-30 પાસે સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન ટાણે ડૂબી જવાથી ત્રણ વ્યક્તિના મોત

WND Network.Gandhinagar : બુધવારે વહેલી સવારે બનેલી એક દુઃખદ ઘટનામાં સાબરમતી નદીમાં (Gandhinagar Sabarmati River Tragedy) દશામાની મૂર્તિનું વિસર્જન કરતી વખતે ત્રણ  વ્યક્તિના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના ગાંધીનગર સેક્ટર-30 પાસે સાબરમતી નદી કિનારે બની હતી. જેમાં કુલ પાંચ વ્યક્તિ નદીમાં તણાઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે.

આ પાંચ માંથી ત્રણ વ્યક્તિની લાશ બહાર કાઢવામાં આવી હતી. બાકીના બે વ્યક્તિનું શું થયું તે અંગે હજુ સુધી આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ માહિતી મળી નથી.